મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો


SHARE















ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક મહિલાને સંતાનમાં દીકરો ન હોવાથી તેનો પતિ તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતો હોવાથી દીકરીએ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયાના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક મહિલાની છતર ગામે રહેતી માતા વેલુબેન લાભુભાઈ લીરાભાઈ પરમાર જાતે દેવીપુજક (૫૫)એ તેના જમાઈ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા રહે. નેકનામ વાળાની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને સંતાનમાં બે દીકરીઓ હતી જો કે, દીકરો ન હોવાથી તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો અને તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હતી જેથી તેને આપઘાત કર્યો છે હાલમાં મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ કેસની તપાસ ટંકારાના પીએસઆઈ એચ.આર.હેરભા ચલાવી રહ્યા છે






Latest News