મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક મહિલાને સંતાનમાં દીકરો ન હોવાથી તેનો પતિ તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતો હોવાથી દીકરીએ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયાના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક મહિલાની છતર ગામે રહેતી માતા વેલુબેન લાભુભાઈ લીરાભાઈ પરમાર જાતે દેવીપુજક (૫૫)એ તેના જમાઈ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા રહે. નેકનામ વાળાની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને સંતાનમાં બે દીકરીઓ હતી જો કે, દીકરો ન હોવાથી તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો અને તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હતી જેથી તેને આપઘાત કર્યો છે હાલમાં મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ કેસની તપાસ ટંકારાના પીએસઆઈ એચ.આર.હેરભા ચલાવી રહ્યા છે






Latest News