મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના નેકનામ ગામે સંતાનમાં દીકરો ન હોવાથી પરણીતાને મારવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું અને હાલમાં મૃતક મહિલાને સંતાનમાં દીકરો ન હોવાથી તેનો પતિ તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતો હોવાથી દીકરીએ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયાના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક મહિલાની છતર ગામે રહેતી માતા વેલુબેન લાભુભાઈ લીરાભાઈ પરમાર જાતે દેવીપુજક (૫૫)એ તેના જમાઈ હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા રહે. નેકનામ વાળાની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને સંતાનમાં બે દીકરીઓ હતી જો કે, દીકરો ન હોવાથી તેને મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો અને તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હતી જેથી તેને આપઘાત કર્યો છે હાલમાં મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ કેસની તપાસ ટંકારાના પીએસઆઈ એચ.આર.હેરભા ચલાવી રહ્યા છે






Latest News