મોરબીમાં નિલકંઠ વિદ્યાલય ખાતે ચિલ્ડ્રન SSY શિબિર શરૂ
SHARE
મોરબીમાં નિલકંઠ વિદ્યાલય ખાતે ચિલ્ડ્રન SSY શિબિર શરૂ
મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે શનિવારથી આગમી તા ૨૬ સુધી સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સુધી ચિલ્ડ્રન SSY શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ થઈ ગયેલ છે હાલના મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટર યુગમાં તેમજ વિડીયો ગેમના જમાનામાં બાળકો ઇન્ડોર અને આઉટડોર ગામઠી રમતો ભૂલી ગયા છે, આજના બાળકો માનસિક રીતે મજબૂત થયા છે પણ શારીરિક રીતે અશક્ત થયા છે ત્યારે બાળકોના ઉત્તમ ઘડતરનો સોનેરી અવસર એટલે ચિલ્ડ્રન SSY ઋષિ પ્રભાકરજી પ્રેરિત ચિલ્ડ્રન SSY દ્વારા બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિ બહાર લાવી શકાય, બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી શકે, બાળકના જીદ્દી અને ગુસ્સા વાળા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે. બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું થાય, જવાબદાર, શિસ્તબદ્ધ અને અન્યને મદદરૂપ થનારું, નમ્ર વિવેક અને અજ્ઞાકિત બને, બાળકમાં સામાજિક, શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય આવા અનેક ફાયદા આ શિબિર દ્વારા થાય છે









