માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર


SHARE

















મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ વધ્યું છે તેમાં ખાસ કરીને સિરામીક ઉદ્યોગમાં બહારના રાજયોમાંથી મજુરી કામે આવતા પરપ્રાંતીઓના લીધે દેશી દારૂનું વેચાણ ખુબ જ વધી ગયુ હોય અને ગૃહ ઉદ્યોગની જેમ અમુક વિસ્તારોમાં દારૂ વેચાણના ધંધા થતા હોય માળીયા(મિં.) અને ખાસ કરીને નવાગામ પંથકમાંથી, સુરેન્દ્રનગર પંથક અને ચોટીલા પંથક અને ખાસ કરીને ચોટીલાના નાળિયેરી પંથકમાંથી છુટથી દારૂનો જથ્થો મોરબી પંથકમાં ઠાલવીને વેચવામાં આવે છે તે નરી વાસ્તવિકતા છે.પુરુષોની સાથે મહિલાઓ પણ દારૂના ધંધામાં સમોવડી હોય છે અને અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા જાતે મિંયાણા રહે.સોઓરડી પાછળ, માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પીઆઇ વી.એલ.પટેલે જીલ્લામાંથી હદપારી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્રારા પાસ કરી દેવામાં આવતા મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયાને છ મહિના માટે મોરબી જીલ્લો તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ(ભુજ) અને જામનગર એમ પાંચ જિલ્લાઓમાંથી છ માસ માટે હદપાર કરીને અમદાવાદ મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી કિશન જેસીંગભાઇ દેલવાડીયા ઘરેથી બાઈક રીપેરીંગ કરવા માટે જતા હતા તે દરમિયાન નવલખી ચોકડી પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા કિશનભાઇ દેલવાડીયાને અહીંની આયુષ હોસ્પીટસે ખસેડાયો હતો.જ્યારે મોરબીના અન્ય એક વિસ્તારમાં બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં દિવ્યેશ મુકેશભાઇ ખારવા (૨૯) રહે.મોરબી અને બળવંત દિલીપભાઇ ખારવા (૨૭) રહે.રાજકોટ વાળાઓને ઈજાઓ થતાં બંનેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પરણિતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતી ગીતાબેન જીવરાજભાઈ મુછડીયા નામની ૩૬ વર્ષીય પરિણીતાને તેના પતિએ કોઈ બાબતે ઝઘડો થયા બાદ માર માર્યો હતો જેથી કરીને ગીતાબેન મુછડીયાને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.




Latest News