ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન


SHARE













મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન

મોરબી નજીકના પાનેલી ગામે ઘણા વર્ષો પછી ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી શ્રી સીતારામ ગૌશાળાના શુભારંભ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે સમસ્ત પાનેલી ગામ સહિતના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે 

રામકથા પ્રારંભે મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી  ધુવાળા બંધ ગામ માટે બપોરે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે  આ ધાર્મિક કાર્યનો તમામ સમાજના લોકોએ તન, મન અને ધનથી લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે આ રામ કથાનો પ્રારંભ તા ૨૬-૩ થી થવાનો છે ત્યારે પહેલા માં મસાણી મેલડીનો મંડપ રોપણ તથા યજ્ઞ સવારે ૮:૧૫ કલાકે અને યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે તેમજ પોથીયાત્રા સવારે ૯:૩૦ કલાકે રામદેવપીર મંદિરથી કથામંડપ સુધી યોજાશે અને બપોરે મહાપ્રસાદ ૧૨ કલાકે યોજાશે ત્યાર બાદ બપોરે બે વાગ્યાથી કથા પ્રારંભ થશે અને દરરોજ કથા બપોરે બે થી છ વાગ્યા સુધી ચાલશે આટલું જ નહીં કથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભજન, કિર્તન, સંતવાણી, આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પુર્ણાહુતિ તા ૩-૪ ના રોજ થશે






Latest News