મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન


SHARE











મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન

મોરબી નજીકના પાનેલી ગામે ઘણા વર્ષો પછી ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી શ્રી સીતારામ ગૌશાળાના શુભારંભ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે સમસ્ત પાનેલી ગામ સહિતના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે 

રામકથા પ્રારંભે મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી  ધુવાળા બંધ ગામ માટે બપોરે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે  આ ધાર્મિક કાર્યનો તમામ સમાજના લોકોએ તન, મન અને ધનથી લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે આ રામ કથાનો પ્રારંભ તા ૨૬-૩ થી થવાનો છે ત્યારે પહેલા માં મસાણી મેલડીનો મંડપ રોપણ તથા યજ્ઞ સવારે ૮:૧૫ કલાકે અને યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે તેમજ પોથીયાત્રા સવારે ૯:૩૦ કલાકે રામદેવપીર મંદિરથી કથામંડપ સુધી યોજાશે અને બપોરે મહાપ્રસાદ ૧૨ કલાકે યોજાશે ત્યાર બાદ બપોરે બે વાગ્યાથી કથા પ્રારંભ થશે અને દરરોજ કથા બપોરે બે થી છ વાગ્યા સુધી ચાલશે આટલું જ નહીં કથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભજન, કિર્તન, સંતવાણી, આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પુર્ણાહુતિ તા ૩-૪ ના રોજ થશે






Latest News