હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે


SHARE







મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનુ આયોજન ૨૩ માર્ચના રોજ કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે

દેશમાં ભગતસિંહરાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદ ૨૩ માર્ચને શાહિદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્ય આયોજન કરાયું છે આ કાર્યક્રમ મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવ્યો છે અને રાત્રે ૮:૩૦ વાગ્યાથી નાટક શરૂ થશે અને અંદાજે 10 હજારથી વધુ લોકો બેસીને આ નાટક જોઈ શકે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે અને આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના ૭૦ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦ જેટલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News