મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે
SHARE
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનુ આયોજન ૨૩ માર્ચના રોજ કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાશે
દેશમાં ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદ ૨૩ માર્ચને શાહિદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્ય આયોજન કરાયું છે આ કાર્યક્રમ મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવ્યો છે અને રાત્રે ૮:૩૦ વાગ્યાથી નાટક શરૂ થશે અને અંદાજે 10 હજારથી વધુ લોકો બેસીને આ નાટક જોઈ શકે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે અને આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના ૭૦ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦ જેટલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે









