મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ
મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત
મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ખાતમુહૂર્ત આગમી શુક્રવારના રોજ સાંજે કરવામાં આવશે જેમાં મોરબીના જિલ્લા કલેકટર, એસપી અને રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ હાજર રહેવાના છે
મોરબીમાં આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી તારીખ ૨૪ ને શુક્રવારના સાંજે ૫:૩૦ કલાકે પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસ તથા એસપી રાહુલ ત્રિપાઠી હાજર રહેવાના છે ત્યારે બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ હાજર રહેવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજભાઈ ભટ્ટે આમંત્રણ આપ્યું છે