મોરબી જિલ્લાના અન્ડર-૧૬ ક્રિકેટરોનું સિલેક્શન ૨૬ માર્ચના કરાશે
મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પરિવાર સાથે જોડાયા હતા અને ખાસ કરીને સિંધી વેપારીઓ દ્વારા પોતાની દુકાનોને બંધ રાખીને મોરબીના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાયો હતો અને સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાયા હતા આ શોભાયાત્રા મોરબીના સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેવું આયોજકોએ જણાવ્યુ છે