મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં આપ, એબીવીપી, એકતા એજ લક્ષ્ય સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા શહિદદિને શહીદોને પુષ્પાંજલિ


SHARE













મોરબીમાં આપ, એબીવીપી, એકતા એજ લક્ષ્ય સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા શહિદદિને શહીદોને પુષ્પાંજલિ

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા શાહિદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના ગાંધીચોકમાં તેમજ નવા બસ સ્ટેશન પાસે આવેલ શાહિદ વિરોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


આમ આદમી પાર્ટી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન દિવસ પર મશાલ પદ યાત્રા યોજવામાં આવી હતી અને ક્રાંતિવીરની પ્રતિમાને હારતોરા કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયા સહિત તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

શ્રી સજનપર પ્રા. શાળા
ટંકારા તાલુકાની  શ્રી સજનપર પ્રા. શાળામાં શાહિદ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત માતાની રક્ષા કાજે  શાહિદ થયેલા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સજનપર પ્રા. શાળાના  ધો. ૧ થી ૫ ના બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેના વિચારો રજૂ કર્યા હતા. દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓની બલિદાનની ગાથા શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

મોરબી એબીવીપી
મોરબી એબીવીપી દ્વારા ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે એબીવીપીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને શહીદ દિવસ નિમીતે મોરબી શાખા દ્વારા શહીદોની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા

એકતા એજ લક્ષ્ય સંગઠન
મોરબી જિલ્લામાં કાર્યરત એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ દ્વારા ૨૩ માર્ચ બલિદાન દિવસ હોવાથી સનાતની ભાઈઓ દ્વારા વિર પુરુષો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવજીને ગાંધી ચોકમાં આવેલ ભગતસિંહની પ્રતીમા ખાતે શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.








Latest News