મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત


SHARE













મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં બનેલો બનાવ

વાંકાનેરના કોટડા નાયાણી ગામે કુવો ગાળતા થયો અકસ્માત

કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા

ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરો દટાયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા બે લોકોના મોત નિપજયા હોય બે લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા જેથી બે મજુરોના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયા હતા જ્યારે એક મજુરને બેભાન હાલતમાં રાજકોટ લઈ જવાતા ત્યાં ટુંકી સારવારમાં તેનું મોત નીપજયુ હતુ અને મૃતદેહ રાજકોટ હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે.મૃતકો સ્થાનિક મજૂરો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે

જે બે વ્યક્તિના વાંકાનેર ખાતે મોત થયા છે તેમા નાગજીભાઈ સોમાભાઈ સિતાપરા (૪૦) અને મનસુખભાઈ પોપટભાઈ સોલંકી (૪૫) નો સમાવેશ થાય છે અને જે ઇજાગ્રસ્તને રાજકોટ લઇને ગયા હતા તેનું નામ વિનુભાઇ બચુભાઈ ગોરીયા છે અને તેનુ ત્યાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે અને કોટડા નાયાણી ગામે ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરની વાડીએ કુવામાં ઘટના બનેલ છે

 






Latest News