મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત
મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વર્તમાન સમયમાં દેશની અંદર સ્વદેશી વસ્તુઓનું મહત્વ દિવસે વધી રહ્યું છે અને દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કઈ રીતે દેશમાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારી શકાય છે અને દેશને મજબૂત બનાવી શકાય છે તેના લગતી માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક જીલેશભાઈ કાલરીયા તેમજ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા