મોરબીના નાની કેનાલ-પંચાસર રોડ ઉપર માળખાકીય સુવિધાઓને ઝંખતા લોકો: કલેક્ટરને કરી રજૂઆત
મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શનાળા મુકામે કાવ્યકુંભ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શનાળા મુકામે કાવ્યકુંભ કાર્યક્રમ યોજાયો
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શનાળા અંતર્ગત ચાલતાં માધ્યમિક વિભાગના ધો. ૯ નાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર અને ક્યારેય કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ન થયો હોય તેવો ‘કાવ્યકુંભ’ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ કરવા પાછળનાં ઉદેશ્યો તેમજ વિદ્યાર્થીઓની અંદર રહેલ સર્જન શક્તિ કેવી રીતે બહાર લાવવી તે અંગેની વાત સુનિલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ બોરોલે તેમજ સ્વરાંગન સ્ટુડિયોનાં સંગીત પ્રેમી એવા હંસરાજભાઈ ગામી હાજર રહ્યા હતા ત્યારે શિક્ષણાધિકારી નિલેશભાઈએ ભાષાને બચાવવા માટેનાં આવા કાર્યક્રમો શિશુમંદિર વિદ્યાલય કરી રહ્યું છે, તે ખરેખર બિરદાવવા લાયક છે અને હંસરાજભાઈ પણ કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે આ કાર્યક્રમ કોઈ કેસેટ કે ઓડિયો દ્વારા રજુ થયો ન હતો, આ આખા કાર્યક્રમની બધી જ કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા જ ગાય, વાદન, અભિનય, સમજૂતી દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અતિથિઓનું માધ્યમિક વિભાગ વ્યવસ્થાપક ડો. વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું હતું