મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શનાળા મુકામે કાવ્યકુંભ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ
SHARE
મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલય યોજાઇ
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે સાપ્તાહિક વાલી વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯થી ૧૦:૩૦ સુધી વાલી વિદ્યાલય ચાલુ રાખવામા આવતી હતી જેમાં ૭૦ વાલીઓ નિયમિત અભ્યાસ કરવા માટે આવતા હતા. અને ત્યારે વાલીઓની વૈચારિક સ્પષ્ટતા માટે નિયમિત વિદ્યાલયના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા હતા. જેમાં સુનિલભાઈ પરમારે વાલી-વિદ્યાલયની પ્રસ્તાવના રજૂ કરી હતી, જયંતીભાઈ રાજકોટિયાનો વાલીઓ સાથે વાર્તાલાપ, વિષ્ણુભાઈ વિડજાએ સ્વદેશી વિષય ઉપર છર્ચા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેસિઆએ સંઘ અને સંઘના વિવિધ ક્ષેત્રો વિશેની માહિતી આપી હતી, વિજયભાઈ ભલગામાએ ખગોળશાસ્ત્ર વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ, તુષારભાઈ પાણસણીયાએ આપણો ગૌરવશાળી ઇતિહાસ વિષયને લઈને રસપ્રદ વાતો કરી હતી.









