મોરબીમાં અકસ્માતના કેશમાં રૂ।.૭,૨૭,૦૦૦ નું વળતર ચુકવવા વિમા કુા. સામે હુકમ
SHARE
મોરબીમાં અકસ્માતના કેશમાં રૂ।.૭,૨૭,૦૦૦ નું વળતર ચુકવવા વિમા કુા. સામે હુકમ
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં થયેલ વાહન અકસ્માતના બનાવ બાદ નોંધાયેલ ફરિયાદના કેસમાં કોર્ટે ભોગ બનનાર પરિવારને રૂા.૭.૨૭ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેશની હકીકત એવી છે કે ગુજરનાર રૂપમ રાધેક્રિષ્ન પાંડે રહે.વાણીયા સોસાયટી મોરબીવાળા ગત તા.૧૪-૫-૨૦૧૮ ના રોજ પોતાનું મોટરસાઇકલ નંબર જીજે ૩૬ જે ૧૪૪૧ ધીમેધીમે ચલાવી મોરબીથી વાંકાનેર તરફ જતા હતા ત્યારે રાત્રીના સમયે ડમ્મપર નંબર જીજે ૨૬ ટી ૨૩૬૮ ના ચાલકે લાલપર-પાવરહાઉસ પાસે કોઇ રીફરેક્ટર કે આડસ રાખીયા વગર રોડ વચ્ચે બેદરકારીથી ડમ્પર પાર્ક કરેલ હોય, આ બાઇક ડમ્પર નં.જીજે ૩૬ ટી ૨૩૬૮ ના પાછળના ભાગે ભટકાતા રૂપમ રાધેક્રિષ્ન પાંડેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અવસાન પામેલ.તેમના અકસ્માત વળતરનો કેશ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ભોગ બનનારના પરીવારને રૂા.૭,૨૭,૦૦૦ નું વળતર ૮ ટકા વ્યાજ તથા ખર્ચની રકમ સહીત ચુકવવા વિમાં કાુ. સામે હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર વતી મોરબીના સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.