મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ


SHARE













ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ

મોરબીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ મોરબીમાં ચારે ફિરકાની સામૂહિક શાશ્વતી ચૈત્રમાસની ઓળીમાં પૂજ્ય ગુણરત્નશુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ થયો છે.

ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજના મંગલ પ્રવેશ નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગુરુદેવ જૂનાગઢ ગિરનાર તીર્થથી ૪૫૦ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને ચૈત્રમાસની શાશ્વત ઓળીમાં નિશ્રા આપવા માટે મોરબી સંઘમાં પધાર્યા છે. ત્યારે નગર દરવાજાથી ગુરુદેવનું સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં ૨૭ શુકનવાળી સુહાગન બહેનો તથા ૩૬ બાળાઓ દ્વારા ગુરુદેવના વધામણા કરાયા હતા.

આ સામૈયુ દરબારગઢના શ્રાવકોના ઉપાશ્રમયમાં ઉતર્યું હતું. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન છે. નવપદ એજ જિનશાસન છે અને જિનશાસન એજ નવપદ છે. નવપદ બહાર જિનશાસનની એક પણ આરાધના નથી.

સાથે જ ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુવીરના ૨૬૨૧ મા જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા સાથે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોરબી સંઘના ચારે ફિરકાના સંઘો જોડાશે. મોરબી સંઘના ૫૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૦ થી વધુ સાધુ, સાધ્વીજી, ભગવંતોનું એક સાથે આગમન થયું છે.






Latest News