મોરબીના શનાળા સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃતિ ઉપાસક કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના શનાળા સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃતિ ઉપાસક કાર્યક્રમ યોજાયો
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં શિશુવાટિકા-૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં નાના-નાના ભૂલકાઓ દ્વારા અખંડ ભારત, રામાયણ, નારી શક્તિ, વૃક્ષ બચાવો, મારૂ ગામડુ, ઝાંસી કી રાણી અને સપરંગી ગુજરાત જેવી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને સપ્તરંગી ગુજરાત ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા કરી વિદ્યાર્થી દ્વારા એન્ટ્રી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દિનેશભાઇ ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી) તથા ચંદુભાઈ વામજા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા