મોરબીમાં આંતરરાષ્ટ્રીય કલાકાર સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવશે
SHARE
મોરબીમાં આંતરરાષ્ટ્રીય કલાકાર સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવશે
આપણે જાણીએ જ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે જો કે, આધુનિક યુગમાં સોળ સંસ્કાર વિસરાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વિન્ટેલ ગ્રુપ દ્વારા લોકોને સોળ સંસ્કારનું મહત્વ સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સોળ સંસ્કાર અંગેની માહિતી સંગીત ડાયરા સાથે આપવામાં આવશે
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને વિન્ટેલ ગ્રુપના સંચાલક કે.જી. કુંડારીયા અને તેના પરિવાર દ્વારા મોરબીમાં લોકો માટે તા. ૨૯ ને બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલનો સોળ સંસ્કાર સંગીત ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિનોદભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું જે મહત્વ છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જેમાં ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ અને સ્વર્ગારોહણ અંગેની માહિતી આપવામાં આવશે એટીઆર ઉલેખનીય છે કે, ડાયરામાં આવનાર લોકોએ પ્રવર્તમાન કોરોનાની બીમારીને ધ્યાને લઈ ફરજીયાત માસ્ક પહેરીને આવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે









