મોરબીમાં આંતરરાષ્ટ્રીય કલાકાર સંગીતમય શૈલીમાં સોળ સંસ્કારનું મહત્વ સમજાવશે
મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રા યોજાશે
SHARE
મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રા યોજાશે
મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન સર્વ હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા, ભજન સંધ્યા યોજાશે તેમજ રામનવની નિમિતે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવશે.
આ શોભાયાત્રામાં ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ રાખવામા આવશે તેની સાથે હનુમાનજીની પણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અને શોભાયાત્રામાં સાત ફ્લોટ રાખવામા આવશે ત્યારે આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થશે અને વીસી ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક અને નહેરુ ગેઇટ થઈને પુર્ણાહુતી થશે. ત્યારે શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે અને ભગવાન રામના જન્મોત્સવ નિમિતે રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે તમામ સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓ રામલલ્લાનો જન્મદિવસ ઉજવવા એક છત્ર નીચે આવીને ભગવાન રામના જન્મોત્સવ ઉજવવા સર્વ હિન્દૂ સમાજની રચના કરીને પ્રથમ વખત મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે.









