મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે પ્રવીણ સાથે મિત્રના ન રાખવાનું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીના ઘૂટું ગામે પ્રવીણ સાથે મિત્રના ન રાખવાનું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના ઘુટુ ગામે દાડમાદાદાના મંદિર પાસે ઘર નજીક શેરીમાં ઉભેલા યુવાન અને તેના મિત્રને પ્રવીણ સાથે મિત્રતા ન રાખવાનું કહીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે તે બંનેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે દાડમાદાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતો સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયા (૨૩) તેના રહેણાંક મકાન પાસે તેના મિત્ર નરેશભાઈ સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં આરોપી રવિ પરસોતમ માનેવાડીયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા રહે. બધા ત્રાજપર વાળા આવ્યા હતા અને પ્રવીણની સાથે મિત્રતા ન રાખતા તેવું કહીને બંનેને બેફામ ગાળો આપી હતી ત્યારબાદ ત્રણેય શખ્સો પોતાના હાથમાં લાકડી લઈને આવ્યા હોય ફરિયાદી સુનિલભાઈ જોગડીયા તથા તેના મિત્ર નરેશભાઈને માર માર્યો હતો ત્યારે નરેશભાઈને શરીરે અને નાક ઉપર ઇજા થઈ હતી અને ફરિયાદીને પણ શરીરને મુંઢ માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયાએ હાલમાં રવિભાઈ પરસોત્તમભાઈ માનેવાડિયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતો મૌલિકભાઈ રતિલાલ કુંડારીયા (૩૦) નામનો યુવાન આદરણા ગામ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક છોટાહાથી સાથે અથડાતા અકસ્માત\નો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા મૌલિકભાઈ કુંડારીયાને સારવાર માટે અર્ધ બેભાન હાલતમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.






Latest News