મોરબીના કારખાનામાં થતી કેમિકલ ચોરીના ગુનામાં કારખાનેદારની ધરપકડ
મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન
SHARE
મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન
આમરણ ગામે હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.કોઈપણ સપ્તાહ દરમ્યાન સામાન્ય રીતે રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યારે આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે દાજીબાપુ ગામ માથક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જયારે વી.ડી.બાલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ પર્યાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.કાલરીયાભાઈએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી.જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થાય તે અંગે ભારપૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતુ.ડી.એ.સરડવા (વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ ખેતીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.









