ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન


SHARE













મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન

આમરણ ગામે હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.કોઈપણ સપ્તાહ દરમ્યાન સામાન્ય રીતે રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યારે આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે દાજીબાપુ ગામ માથક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જયારે વી.ડી.બાલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ પર્યાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.કાલરીયાભાઈએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી.જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થાય તે અંગે ભારપૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતુ.ડી.એ.સરડવા (વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ ખેતીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News