મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન


SHARE















મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન

આમરણ ગામે હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.કોઈપણ સપ્તાહ દરમ્યાન સામાન્ય રીતે રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યારે આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે દાજીબાપુ ગામ માથક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જયારે વી.ડી.બાલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ પર્યાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.કાલરીયાભાઈએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી.જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થાય તે અંગે ભારપૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતુ.ડી.એ.સરડવા (વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ ખેતીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News