વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો


SHARE













માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગાડીમાં પંચર પડ્યું હોવાથી ગાડીનું વ્હીલ બદલતા યુવાનને અન્ય ગાડીના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં રહેતા પંચાણભાઈ સીદાભાઈ રબારી (૩૮) કચ્છમાંથી જામનગર તરફ પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક તેની ગાડીમાં પંચર પડ્યું હતું જેથી કરીને ગાડીનું વ્હીલ બદલતા હતા ત્યારે અન્ય કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેના ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરારાજ સોસાયટીમાં રહેતા ખમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણી ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News