મોરબીના નિમા એસો.ના ડોક્ટરોએ જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની સાથે કરી ગોષ્ઠિ-સંભાષણ
મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ
SHARE
મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ
મોરબીમાં રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ સિંગોળાના લોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી ત્યાર બાદ ફૂડ પોઈઝનિગ થયું હતું જેથી કરીને ૨૦થી વધુ લોકોને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા અને એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પીટલ અને નક્ષત્ર હોસ્પીટલમાં ૨૦ જેટલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા તેવું સ્થાનિક હોસ્પિટલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે મોરબીમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈના પરિવારજનોએ દ્વારા રામનવમીના દિવસે ઉપાવસ કરવામાં આવ્યો હતો અને તેઓએ સિંગોળાના ફરાળી લોટની વાનગી બનાવીને તેઓ ભોજનમાં લીધી હતી જેથી કરીને દિપ્તીબેન જતીનભાઈ, બીનાબેન જયદીપભાઈ, પ્રાચી જયદીપભાઈ, જતીનભાઈ મહેન્દ્રભાઈ અને ભાવનાબેન મહેન્દ્રભાઈને ઉલ્ટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી ભાવનાબેન મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઈને ગયા છે