મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ


SHARE













મોરબીના રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા પછી ૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિગ

મોરબીમાં રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે તેવી જ રીતે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ સિંગોળાના લોટમાંથી બનેલ ફરાળી વાનગી ખાધી હતી ત્યાર બાદ ફૂડ પોઈઝનિગ થયું હતું જેથી કરીને ૨૦થી વધુ લોકોને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા અને એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પીટલ અને નક્ષત્ર હોસ્પીટલમાં ૨૦ જેટલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા તેવું સ્થાનિક હોસ્પિટલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે મોરબીમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈના પરિવારજનોએ દ્વારા રામનવમીના દિવસે ઉપાવસ કરવામાં આવ્યો હતો અને તેઓએ સિંગોળાના ફરાળી લોટની વાનગી બનાવીને તેઓ ભોજનમાં લીધી હતી જેથી કરીને દિપ્તીબેન જતીનભાઈ, બીનાબેન જયદીપભાઈ, પ્રાચી જયદીપભાઈ, જતીનભાઈ મહેન્દ્રભાઈ અને ભાવનાબેન મહેન્દ્રભાઈને ઉલ્ટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે શ્યામ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી ભાવનાબેન મહેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઈને ગયા છે 






Latest News