મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ-૨ની જે મેઈન કેનાલ આવેલ છે તેમાં હાલમાં ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી સમયમાં લોકોના સ્વાસ્થ્ય અને ખેતી બંનેને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તેને બંધ કરવવા માટે સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને યોગ્ય આદેશ કરવા મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆતમાં કરેલ છે

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના મચ્છુ- ૨ ડેમથી ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા માટે જે કેનાલ બનાવવામાં આવી છે તે મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. અને હાલમાં આ કેનાલમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને તેમજ ખેતીને નુકશાન થાય તેમ છે તો પણ ગટર નું પાણી બંધ કરાવવામાં આવી રહ્યું નથી જેથી મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આ બાબતે સ્થાનિક લોકોએ સિંચાઈના અધિકારી, પાલિકાના ચીફ ઓફીસર, તેમજ રવાપરના સરપંચ સહિતનાઓને રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ તેનું નિરાકારણ કરવામાં આવ્યું નથી જેથી કરીને હવે સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે  જો હવે કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News