મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ-૨ની જે મેઈન કેનાલ આવેલ છે તેમાં હાલમાં ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી સમયમાં લોકોના સ્વાસ્થ્ય અને ખેતી બંનેને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તેને બંધ કરવવા માટે સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને યોગ્ય આદેશ કરવા મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆતમાં કરેલ છે

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના મચ્છુ- ૨ ડેમથી ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા માટે જે કેનાલ બનાવવામાં આવી છે તે મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. અને હાલમાં આ કેનાલમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને તેમજ ખેતીને નુકશાન થાય તેમ છે તો પણ ગટર નું પાણી બંધ કરાવવામાં આવી રહ્યું નથી જેથી મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આ બાબતે સ્થાનિક લોકોએ સિંચાઈના અધિકારી, પાલિકાના ચીફ ઓફીસર, તેમજ રવાપરના સરપંચ સહિતનાઓને રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ તેનું નિરાકારણ કરવામાં આવ્યું નથી જેથી કરીને હવે સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે  જો હવે કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News