વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે
મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા
SHARE
મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા
ગુજરાત સરકાર દ્વારા એકી સાથે ૧૦૯ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને બદલીને તેની જગ્યાએ અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે
રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને એકીસાથે ૧૦૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ઘણા બધા સિનિયર અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને મૂકવામાં આવ્યા છે