મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો


SHARE





ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ નોધાવવામાં આવી હતી કે, આરોપીએ તુ અગાઉના પૈસા માંગુ છુ તે આપી દે તેમ કહી ગાળો આપી હતી ત્યારે ફરીયાદીએ કહ્યું હતું કે, “તુ મારી પાસે કઈ માંગતો નથી જેથી કરીને ઉશેકરાઈ ગયેલા આરોપીએ પોતાની પાસેની છરી છરી કાઢી ફરીયદીને મારવા દોડતા ફરીયાદીએ આડો હાથ મુકતા ડાબા હાથમાં ઈજા થઈ હતી અને ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરવા બાબતની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સુલેમાન ઉર્ફ સલીમ મામદભાઈ વીકીયાની ધરપકડ કરી હતી 

આ અંગેનો કેશ મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી મોનીકા આર.ગોલતર રોકાયેલ હતા અને આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ  મોનીકા આર.ગોલતરની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરલે છે




Latest News