મોરબી જીલ્લામાં બારમાસી મરચાં-મસાલા ભરતા લોકો ભેળસેળિયા તત્વોથી સાવધાન
ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો
SHARE
ટંકારા તાલુકાના એટ્રોસીટી-મારામારીના કેસમાં આરોપીનો નીર્દોષ છૂટકારો
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ નોધાવવામાં આવી હતી કે, આરોપીએ “તુ અગાઉના પૈસા માંગુ છુ તે આપી દે તેમ કહી ગાળો આપી હતી ત્યારે ફરીયાદીએ કહ્યું હતું કે, “તુ મારી પાસે કઈ માંગતો નથી” જેથી કરીને ઉશેકરાઈ ગયેલા આરોપીએ પોતાની પાસેની છરી છરી કાઢી ફરીયદીને મારવા દોડતા ફરીયાદીએ આડો હાથ મુકતા ડાબા હાથમાં ઈજા થઈ હતી અને ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરવા બાબતની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સુલેમાન ઉર્ફ સલીમ મામદભાઈ વીકીયાની ધરપકડ કરી હતી
આ અંગેનો કેશ મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી મોનીકા આર.ગોલતર રોકાયેલ હતા અને આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ મોનીકા આર.ગોલતરની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરલે છે