મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીમાં અધૂરી-ખોટી આપતા હાઇકોર્ટમાં પીટીસન દાખલ
મોરબી જીલ્લામાં બારમાસી મરચાં-મસાલા ભરતા લોકો ભેળસેળિયા તત્વોથી સાવધાન
SHARE
મોરબી જીલ્લામાં બારમાસી મરચાં-મસાલા ભરતા લોકો ભેળસેળિયા તત્વોથી સાવધાન
મોરબીમા હાલે ઠેકઠેકાણે તંબુતાણીને મરચા દળવાની પ્રક્રિયા ચાલે છે જો કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર મેળવવામાં આવે છે તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે.
હાલમાં મરચુ, હળદર, ધાણા જીરૂ આ બધો માણસનો રોજીંદો ખોરાક છે અને ગૃહીણીઓ આવા મસાલાનો બાર મહિના માટે સંગ્રહ કરે છે. મોરબીમાં ઘણી જગ્યાએ ટેમ્પરરી સ્ટોલો ઉભા કરીને મરચા દળે છે ત્યારે ઘણી જગ્યાએ મરચાની સાથે કલર તથા પાવડરની ભેળસેળ કરે છે જેથી મરચુ કલરવાળુ દેખાય છે. અને ખરીદીને જયારે દળવામાં આવે છે ત્યારે કયારે અને કેવા સંજોગોમાં ભેળસેળ થાય છે તે ગ્રાહકને ખબર નથી પડતી પરંતુ જયારે તેનો ઉપયોગ કરવામા આવે છે ત્યારે ખબર પડે છે કે, મરચામાં કલર હોય તેવુ જણાય છે. આવી મોંઘવારીમાં માણસ બાર મહીનાનો સ્ટોક ભેગો કરેને ભેળસેળ યુકત મરચુ મળે તો તેની તંદુરસ્તી પર જોખમ થાય છે તો આ અંગે ખોરાક અને ઔષધ વિભાગ નમુના લઈ ને લેબોરેટરી કરાવે તેવી રજુઆત મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરેલ છે.