હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેરાળાના નાલા પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જણા કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભોરણીયા શેરી પ્રતાપ રોડ ઉપર રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા જાતે પીંજારા મુસલમાન (૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇકે ૦૦૭૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાસે આવેલ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગત તા. ૧૮/૪ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર એકટીવા સહિત ઈરફાનભાઈ હેરંજા નાલ નીચે પડ્યા હતા અને ત્યારે નાલા નીચે ભરેલા પાણીમાં ખાડામાં મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવની ગઈકાલે સ્થાનિક લોકોને જાણ થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને કહોવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હોવાથી તેને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈ મુસ્તાકભાઈ યુનુસભાઈ હેરંજા (૪૫) રહે. ભોરણીયા શેરી પ્રતાપ રોડ વાંકાનેર વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News