હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત


SHARE







વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની ૧૪ વર્ષની સગીરા તા.૨૭ ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા હાલ મંગલમ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ પડતા ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો ૩૨ વર્ષે યુવાન ૧૫ જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ આ અંગે વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટ્રક પલ્ટી જતા ઇજા

ઉત્તર પ્રદેશના જોનપુરના બેલાવો ગામના રહેવાસી વૈભવ રામશંકર મિશ્રા નામના ૨૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં અત્રેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે વૈભવ મિશ્રા ટ્રક લઈને જતો હતો ત્યારે વાંકાનેર નજીકના જાલીડા ગામ પાસે તેનો ટ્રક પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News