મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો


SHARE









મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક યુવાન જંતુનાશક દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રસ્તા ઉપર યશપાલસિંહ જશુભા જાડેજા (ઉંમર ૧૮) રહે.નવાપરા વિસ્તાર ભાતેલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળો કોઈ જંતુનાશક દવા પી ગયો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ઉપરોક્ત બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યશપાલસિંહ જાડેજા ધોરણ ૧૦ માં ફેલ થયા બાદ તેની તૈયારી કરતો હતો અને તે પુનઃ પરીક્ષામાં નાપાસ થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતુ..!

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર કોલોની વિસ્તારમાં રહેતો પ્રતાપ ગોકુલચંદ્ર મહાપાત્રો નામનો ૩૧ વર્ષીય યુવાન જુના ઘુંટુ રોડ ઉપર તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે નોંધ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના પંચાસર રોડ શિવનગર ખાતે રહેતા હસમુખભાઇ ઠાકરશીભાઈ રૈયાણી નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હસમુખભાઈ રૈયાણી મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News