માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો


SHARE













મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક યુવાન જંતુનાશક દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રસ્તા ઉપર યશપાલસિંહ જશુભા જાડેજા (ઉંમર ૧૮) રહે.નવાપરા વિસ્તાર ભાતેલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળો કોઈ જંતુનાશક દવા પી ગયો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ઉપરોક્ત બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યશપાલસિંહ જાડેજા ધોરણ ૧૦ માં ફેલ થયા બાદ તેની તૈયારી કરતો હતો અને તે પુનઃ પરીક્ષામાં નાપાસ થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતુ..!

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર કોલોની વિસ્તારમાં રહેતો પ્રતાપ ગોકુલચંદ્ર મહાપાત્રો નામનો ૩૧ વર્ષીય યુવાન જુના ઘુંટુ રોડ ઉપર તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે નોંધ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના પંચાસર રોડ શિવનગર ખાતે રહેતા હસમુખભાઇ ઠાકરશીભાઈ રૈયાણી નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હસમુખભાઈ રૈયાણી મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News