મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત


SHARE







સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત

સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની ૧૧ ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ મોરબીની જનતાએ લીધો હતો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તા. ૩/૫ ને બુધવારે સવારે મોરબી આવી હતી ત્યારે રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ સહિતના લોકો જોડાયા હતા આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલરીલીફનગરઉમા ટાઉનશીપનટરાજ ફાટકમયુરપુલ ઉપર થઇને દરબારગઢગ્રીનચોકનગરદરવાજા ચોકશાક માર્કેટજેઈલ રોડવાઘપરા મેઈન રોડસીતારામ ચોકરવાપર રોડનરસંગ ટેકરીરવાપર ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલશનાળા રોડ ઉપર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી કરવામાં આવી હતી




Latest News