મોરબીમાં નશાની હાલતમાં ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકા કરી પરિણિતાને માર મારતા પતિ સામે પોલીસમાં ફરિયાદ
સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત
SHARE
સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત
સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની ૧૧ ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ મોરબીની જનતાએ લીધો હતો
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તા. ૩/૫ ને બુધવારે સવારે મોરબી આવી હતી ત્યારે રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ સહિતના લોકો જોડાયા હતા આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલ, રીલીફનગર, ઉમા ટાઉનશીપ, નટરાજ ફાટક, મયુરપુલ ઉપર થઇને દરબારગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, શાક માર્કેટ, જેઈલ રોડ, વાઘપરા મેઈન રોડ, સીતારામ ચોક, રવાપર રોડ, નરસંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, શનાળા રોડ ઉપર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી કરવામાં આવી હતી