મોરબી નજીક પેપર મિલના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં બાળકીનું મોત
મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
SHARE
મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મિતુલભાઈ બારોટના પત્ની પૂજાબેન બારોટ (૩૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારી હતી અને તેણે કોઈપણ કારણોસર પોતાની જાત એસિડ પી લઈને આપઘાત કરી દીધેલ છે હાલમાં આપઘાતના આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે









