મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE









મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મિતુલભાઈ બારોટના પત્ની પૂજાબેન બારોટ (૩૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારી હતી અને તેણે કોઈપણ કારણોસર પોતાની જાત એસિડ પી લઈને આપઘાત કરી દીધેલ છે હાલમાં આપઘાતના આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News