હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મિતુલભાઈ બારોટના પત્ની પૂજાબેન બારોટ (૩૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારી હતી અને તેણે કોઈપણ કારણોસર પોતાની જાત એસિડ પી લઈને આપઘાત કરી દીધેલ છે હાલમાં આપઘાતના આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News