વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી
SHARE
વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી
વાંકાનેરમાં આવેલ અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઇકાલે સાંજે આમ ન્યાજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે મોલવી સાહેબની દરગાહ પાછળની વાડીમાં આમ ન્યાજ શરૂ થઈ હતી અને ઈશાની નમાઝ બાદ તકરીર જેમાં સૈયદ શકીલ એહમદ બાવા, સૈયદ મહમદ કૈફ બાવા, ખતીબે એહલેબૈત, હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદ શફીક હનફી સાહેબ મુંબઈની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તકરીર બાદ ન્યાજ શરીફનું આયોજન કરાયું હતું આ ઉપરાંત રવિવારે તા ૭ ના રોજ કુર્આન ખ્વાની અને દરગાહ શરીફ પાછળ વાડીમાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈશાની નમાઝ બાદ મશહૂર કવ્વાલ સરફરાઝ રાજા એન્ડ કંપની દ્વારા મહેફીલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે.