મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી


SHARE









વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી

વાંકાનેરમાં આવેલ અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઇકાલે સાંજે આમ ન્યાજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે મોલવી સાહેબની દરગાહ પાછળની વાડીમાં આમ ન્યાજ શરૂ થઈ હતી અને ઈશાની નમાઝ બાદ તકરીર જેમાં સૈયદ શકીલ એહમદ બાવા, સૈયદ મહમદ કૈફ બાવા, ખતીબે એહલેબૈત, હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદ શફીક હનફી સાહેબ મુંબઈની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તકરીર બાદ ન્યાજ શરીફનું આયોજન કરાયું હતું આ ઉપરાંત રવિવારે તા ૭ ના રોજ કુર્આન ખ્વાની અને દરગાહ શરીફ પાછળ વાડીમાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈશાની નમાઝ બાદ મશહૂર કવ્વાલ સરફરાઝ રાજા એન્ડ કંપની દ્વારા મહેફીલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે.






Latest News