દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટ લેતા બે ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE













મોરબીના લખધીરપુર રોડ ઉપર ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટ લેતા બે ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના ફેઇસ સીરામીક પાસેથી ડબલ સવારીમાં બાઈક લઈને જતા બે યુવાનોના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળતિ વિગતો મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ ફેઇસ સીરામીક પાસે આ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા સિદ્ધાર્થ મનોજભાઇ કાસુન્દ્રા (૨૪) રહે. ૬૦૨ શુભવિલા એપાર્ટમેન્ટ પ્રભુકૃપા ટાઉનશીપ મહેન્દ્રનગર મોરબી-૨ તથા તેની સાથે રહેલ પ્રિન્સ સુધીરભાઇ કાલરીયા (૨૫) રહે. લક્ષ્મીનગર સોસાયટી એલએમ રોડ સુરત વાળાઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફટે લેતા સિદ્ધાર્થ કાસુન્દ્રા અને પ્રિન્સ કાલરીયાને ઇજાઓ પહોંચતા બંનેને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ મકરાણીવાસ વિસ્તારમાં બાવાજીની વાડી નજીક રહેતા જેતુનબેન વલીમામદ નામના ૫૦ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બળદેવદાસ કુબાવત નામના ૬૫ વર્ષીય વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યુ હતુ કે ગોપાલભાઈ કુબાવત બાઈકમાં જતા હતા ત્યારે લાતી પ્લોટના ખૂણા પાસે જુના બસ સ્ટેશન નજીક તેમનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તે બનાવમાં તેઓને ઈજા પહોંચતા ગોપાલભાઈને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News