મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા મોરબીના સબજેલની સામે વોંકળા પાસેથી યુવાનની લાશ મળી : તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી-મારામારી કર્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીમાં પત્ની સાથે બોલાચાલી-મારામારી કર્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં કારખાનાના શેડમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝ્ન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને નાશાની હાલતમાં તેની પત્ની સાથે બોલાચાલી કરીને તેની પત્નીને માર માર્યો હતો ત્યાર બાદ તેને લાગી આવતા તે યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની સામે પ્લોટ નંબર-૯૯ માં એસબીએમ એન્ટરપ્રાઇઝ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા પંકુભાઈ પરશુરામ નીસાદ જાતે ખારવા (૨૦) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પિતા પરશુરામભાઈ ગંગારામ નિશાદ (૪૮) રહે. હાલ મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે,પંકુભાઇ નિશાદ નશાની હાલતમાં કામ ઉપર આવ્યા હતા ત્યારે તેને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેને પોતાની પત્નીને મારા માર્યો હતો ત્યારબાદ તેને લાગી આવતા તેણે પોતાની જાતે કારખાનાના શેડમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લાલપર પાસે બસ સ્ટેશન નજીકથી વિપુલ ભુપતભાઈ કણસાગરા (૧૮) રહે. રાજકોટ વાળો બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં વિપુલભાઈને ઇજા થયેલ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ કરી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીકમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ (૫૭) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આધેડને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News