મોરબીમાં પત્ની સાથે બોલાચાલી-મારામારી કર્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને આ ગુનામાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે મોરબી નજીકના કારખાનામાંથી સગીરાના અને આરોપીને શોધી કાઢ્યા હતા અને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ સગીરાનો કબજો તેના વાળીને સોપી દેવામાં આવ્યો છે
અકસ્માતમાં ઇજા
મોરબીની ત્રાજપર ઉપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ત્રાજપર પાસે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ જાદવ (૩૭) નામના યુવકને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી ડિવિઝનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા મનસુખભાઈ અરજણભાઈ બહાપિયા (૩૭) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ મનસુખભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે