મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડિયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને આ ગુનામાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે મોરબી નજીકના કારખાનામાંથી સગીરાના અને આરોપીને શોધી કાઢ્યા હતા અને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ સગીરાનો કબજો તેના વાળીને સોપી દેવામાં આવ્યો છે

અકસ્માતમાં ઇજા
મોરબીની ત્રાજપર ઉપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ત્રાજપર પાસે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ જાદવ (૩૭) નામના યુવકને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને  તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી ડિવિઝનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા મનસુખભાઈ અરજણભાઈ બહાપિયા (૩૭) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ મનસુખભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News