મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે


SHARE









મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે

મોરબી અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવનાર છે જેમાં હાથ વણાટના શુદ્ધ અને સાત્વિક ખાખરા બનાવામાં આવી રહ્યા છે

મોરબીમાં આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ સ્ત્રીઓને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને સ્વમાન ભેર  જીવે તે માટે આ ઉદ્યોગનુ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઓછી ભણેલી કે સાવ અભણ મહિલાને પગભાર કરવા માટે આ મંડળની રચના કરવામાં આવી રહી છે અત્યારે ૧૨ બહેનો રોજીરોટી મેળવે છે પરંતુ ભવિષ્યમાં ૫૦૦ બહેનોને રોજીરોટી આપવાનું આ સખીમંડળનુ લક્ષ્ય છે આ સખી મંડળમાં પ્રમુખ રંજનબેન, કાજલબેન, નયનાબેન બારા સહિતના જોડાયેલ છે આગામી તા ૧૧/૫ ને ગુરુવારના રોજ ૩:૩૦ થી આ કામો શુભારંભ કરશે અને અર્પિત મહિલા ટ્રસ્ટ, હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે

ઔદીચ્ય વિધોતેજક મંડળની સામાન્ય સભા
મોરબી ઔદીચ્ય વિદ્યોત્તેજક મંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સામાન્ય સભા તા.૧૩ મી મે ને શનિવારના રોજ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, શનાળા રોડ ખાતે સાંજે ૫ કલાકે રાખવામા આવેલ છે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લનું જ્ઞાતિવિશેષ તરીકે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે






Latest News