મોરબીમાં અર્પિત આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરાશે
મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ
SHARE
મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ
મોરબીના જીકીયારીથી ચકમપર જતાં સમયે સામેથી આવેલ અજાણ્યા વાહનની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે અંજાઈ જવાથી કાર રોડ સાઇડમાં પલટી મારી ગયેલ હતી અને કાર ચાલકનું મોત થયું હતું જે કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા અકસ્માતના આ કેશમાં ૫,૦૦,૦૦૦ નું વળતર વ્યાજ સાથે ચૂકવવું અને ખર્ચની રકમ પણ આપવા મોરબીની ટ્રીબ્યુનલે વીમા કંપનીની આદેશ કરેલ છે
આ અકસ્માત કેઇસની વિગત આપતા વકીલ બી.બી. હડિયલે જણાવ્યુ હતું કે, ગત તા.૧૫/૩/૨૦૧૯ ના રોજ હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયા રહે. ખારેડા વાળાએ ડસ્ટર કાર નં. જીજે ૧૨ બીઆર ૭૬૦૨ નું ડ્રાઇવીંગ કરી જીકીયારીથી ચકમપર જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યું વાહન આવ્યું હતું અને તેની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે હાર્દિકભાઇ લાઇટના પ્રકાશમાં અંજાઇ જતા અકસ્માત નિવારવા પોતાની ડસ્ટર કાર સાઇડમાં લેતા ડસ્ટર કાર પલ્ટી ખાઇ ગયેલ હતી અને આ અકસ્માતમાં હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયાને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી અવસાન થયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને ૫,૦૦,૦૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા વિમા કંપનીનીને હુકમ કરેલ છે.