મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ
મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
SHARE
મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ તકે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે માનોજસિંહ જાડેજા (સાપર), મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (વાઘારવા), શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ (વીરપરડા), મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ તેમજ અન્ય મહેમાનો અને ૧૦૦ સભ્યો જુદાજુદા ગામેથી આવ્યા હતા અને કરની સેનામા જોડાયા હતા આ તકે શ્રી રાજપુત કરણી સેનાની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વી.એસ. જાડેજા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજા, ગુજરાત સહમંત્રી ભાવસિંહજી ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઉદેસિંહ ઝાલા, ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા, કિશોરસિંહ ઝાલા, કે.ડી. જાડેજા, વિક્રમસિંહ જાડેજા (વવાણિયા), રાજપુત યુવા સંઘના પ્રદેશ સંગઠન મંત્રી નિરુભા ઝાલા, મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, મૂળરાજસિંહજી ઝાલા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા