મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતાની ધરપકડ


SHARE









મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતાની ધરપકડ

મોરબી શહેરમાં પોલીસકર્મીની પત્નીએ આપઘાત કર્યો હતો તે બનાવમાં પોલીસ કર્મચારી અને તેના માતા સામે પરિણીતાને મરવા મજબુર કર્યાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન પોલીસ કર્મચારી અને તેની માતા આગોતરા જામીન સાથે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કર્યા બાદ બંનેને કોર્ટનો હુકમ હોવાથી જમીન મુક્ત કર્યા હતા

મોરબીના કબીર ટેકરી શેરી-૭ વાઘપરા મેઈન રોડ પર રહેતા ઉમા કનુભાઈ લાંબા જાતે ગઢવીએ થોડા દિવસો પહેલા તેના જમાઈ રવિ ધીરૂભાઈ કીડિયા અને તેની માતા ગીતા ધીરૂભાઈ કીડિયા રહે. બંને રબારીવાસ શેરી નં.૪ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તેની દીકરી મિતલ (૨૬) ના લગ્ન આઠ વર્ષ પહેલાં રવિ કીડિયા સાથે થયા હતા અને તેને ગત તા. ૮ ના રોજ મિતલે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતો જેથી તાત્કાલિક ફરિયાદી ઉમાબેન અને તેનો દીકરો યુવરાજ રવિકુમારના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઉપરના માળે દીકરીને નીચે ઉતારી બેડ પર સુવડાવી હતી અને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાર બાદ પરિણીતાની માતાએ તેની દીકરીને તેના સાસુ ગીતા ધીરૂભાઈ કીડિયા અંધશ્રદ્ધામાં વધુ માનતા હોય જેને કારણે તેને માનસિક દુખ ત્રાસ આપતા હોય અને દીકરી આ બાબતે ફોનમાં અને રૂબરૂમાં મળતી હતી ત્યારે વાત કરી હતી, પરંતુ થોડું જતું કરવાનું સમજાવતા હતા. તેમજ સાસુની અંધશ્રદ્ધાની વાત પતિને કરતી તો જમાઈ રવિકુમાર મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અને છેલ્લા સાતેક મહિનાથી સાસુ ગીતાબેન અને જમાઈ રવિકુમાર કીડિયા અંધશ્રદ્ધાને કારણે શારીરિક અને માનસિક રીતે હેરાન કરી દુખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીની દીકરીએ આપઘાત કર્યો છે જેથી પોલીસ દ્વારા ગુનો નોંધીને પોલીસકર્મી અને તેની માતાને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આગોતરા જામીન સાથે ગીતા ધીરૂભાઈ કીડિયા અને રવિ ધીરૂભાઈ કીડિયા રહે. બંને સબ જેલ સામે રબારીવાસ શેરી નં.૪ વાળા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પીએસઆઈ એસ.આઈ. પટેલ દ્વારા તેની ધરપકડ કરીને જરૂરી પૂછપરછ કર્યા બાદ કોર્ટનો હુકમ હોવાથી તે બંનેને જમીન મુક્ત કર્યા હતા

મારામારીના બનાવવામાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલની પાછળના કાંતિનગર વિસ્તારમાં રહેતા રફીક હસનભાઈ કટિયા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસના ગેઇટ નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલે સારવાર માટે લવાયો હતો જેથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ આ અંગે આગળની તપાસ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા પાસે આવેલ સોલડી ગામે રહેતા સવિતાબેન ગોરધનભાઈ વસવેલીયા નામના ૬૮ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ થતા સવિતાબેનને અહીંની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News