હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ


SHARE







વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં બે બાઈક સવાર શખ્સ જોવા મળ્યા હતા જેથી તેની તરફ જય રહેલા યુવાનને રોકવા માટે તેના દ્વારા પેટ્રોલ ભરેલી કાચની બોટલો ફેંકવામાં આવી હતી જો કે, જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકીને આ બંને શખ્સો નાસી છૂટયા હતા ત્યાર બાદ યુવાને બૂમા બૂમ કરતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક લઈને નાશી ગયેલા શખ્સોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી જો કે, તેનો કોઈ પત્તો ન લગતા અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને બે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને હાલમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલી અમરનાથ સોસાયટીમાં મંગવારે વહેલી સવારે ત્રણ વાગ્યે બાઇક લઈને બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે જાગી ગયેલ યુવાન ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા જાતે ભરવાડ (૪૫) તેના તરફ આગળ જતાં તેને રોકવા માટે આ શખ્સો દ્વારા તેની પાસે રહેલ જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી તે બંને શખ્સો બાઇક લઈને નાશી ગયા હતા જો કે, ગેલાભાઇ મૈયાભાઇ મુંધવાએ બૂમા બૂમ કરી હતી જેથી કૈરને આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક ઉપર આવીને જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી નાસી ગયેલા શખ્સોને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે તે બંને મળી આવ્યા ન હતા જેથી કરીને હાલમાં ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૪૧, ૨૮૫, ૩૩૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે હાલમાં આરોપીઓ સુધી પહોચવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવા માટેની તજવીજ શરૂ કરી છે






Latest News