મોરબીમાં ભૂગર્ભ ગટર-વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કરવા અધિકારીઓને જિલ્લા સંકલનમાં તાકીદ
મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી
SHARE
મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી
મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત એન.એસ.યુ.આઈ. ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં કારોબારી મીટીંગ મળી હતી જેમાં મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ તરીકે ભાવનિકભાઇ હસમુખભાઈ મુછડિયાની નિમણુક કરવામાં આવી છે તેમજ મોરબી જીલ્લાની તમામ કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા માટે એન.એસ.યુ.આઈ. દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેવું નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લાનાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા, એન.એસ.યુ.આઈ. પ્રદેશ મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિતનાં હાજર રહ્યા હતા