હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત


SHARE







વધુ એક કરોડોનું કેનમેલ.? : વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ની કિંમતી જમીન પાણીના ભાવે ન આપવા સભ્યોની જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરકારી ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ને ફાળવેલ છે જે જમીન  જમીન અંગે હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે ખરીદી કરવા મંજૂરી માંગેલ છે જો કે, તે ટ્રસ્ટને ન આપવા માટેની રજૂઆત જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવી છે. 

હાલમાં વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી.ના સભ્યો રાજનભાઈ ચોથાભાઈ, જગદીશસિંહ ઝાલા અને કાંતિભાઈ છગનભાઇ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની જમીન વાંકાનરે તાલુકાના ચંદ્રપુર ગામે ખરાબા સર્વે નંબર ૧૭૮ પૈકી કરોડો રૂપિયાની કીમતી જમીન આવેલ છે તે લેવા માટેની હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટે મંજૂરી માંગેલ છે જો કે, આ જમીન ખુબજ કીમતી છે માટે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો આ સભ્યો દ્વારા આ જમીન પાણીના ભાવે ન આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ જમીનની બજાર કિમત આશરે ૧ વીઘાના દોઢ કરોડ કરતાં પણ વાધારે છે ત્યારે આ જમીન કોઈ ટ્રસ્ટને સાવ પાણીના ભાવે આપી દેવી તે વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ના સભ્યો તરીકે હિતાવહ દેખાતું નથી અને હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટએ એક સેવાકીય પ્રવૃતિ કરતું ટ્રસ્ટ છે તો વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખ હોસ્પિટલ, બંધુસમાજ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃતિ હેતુથી કાર્યરત છે. અને વાંકાનેર તાલુકા કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી. ની છેલ્લે મળેલ સામાન્ય સભામાં આ મુદાનો એજન્ડા ચર્ચા-વિચારણા કરવા બાબતે લેવામાં આવેલ છે. ત્યારે માત્ર પ્રમુખના કબૂલાતનામાં પ્રમાણે આ જમીન હ. બાલાપીર (ર.હે.) મોમિન બૈતુલમાલ ટ્રસ્ટને પોતાના આર્થિક ઉપાર્જન માટે આપવીએ યોગ્ય જણાતી નથી તેવું રજૂઆતમાં લખવામાં આવેલ છે.






Latest News