મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના નંદીઘરની ખાલી થયેલ જગ્યામાં પાલિકા દ્રારા સોલર પાવર પ્લાન્ટ લગાવો : મહેશ રાજયગુરૂ


SHARE







મોરબીના નંદીઘરની ખાલી થયેલ જગ્યામાં પાલિકા દ્રારા સોલર પાવર પ્લાન્ટ લગાવો : મહેશ રાજયગુરૂ

છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકા વિવાદમાં રહી છે દરમિયાનમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર પાલીકા દ્રારા નંદીઘર બનાવવામાં આવ્યું હતું અને તે નંદીઘરમાં લાખોનો ખર્ચ કર્યા બાદ પણ અનેક પશુઓના મોત નિપજયા હતા જેના પગલે હવે આ નંદીઘર બંધ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ નંદીઘરની ખાલી થયેલી જમીન ઉપર કોઈનો કબ્જો ન થાય અને તે જમીનમાં જમીન પચાવી પાડનારાઓ ફાવી ન જાય તે હેતુથી મોરબી પાલિકા ખુદ પોતાના માટે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ લગાવે તેવી માંગ લોકોના હિતમાં મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજગુરૂ દ્વારા કરવામાં આવી છે અને શહેરની સ્ટ્રીટ લાઈટનો વીજ ખર્ચ તેમાંથી નીકળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ તેવી માંગ તેઓએ કરી છે.


મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજયગુરૂએ અખબારી યાદી દ્રારા મોરબીના હીતમાં તંત્ર સમક્ષ માંગ કરતા જણાવેલ છે કે હાલમા મોરબી જીલ્લાની એ ગ્રેડ નગરપાલિકામાં પૈસાના અભાવે પ્રજાની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઇ રહી છે જેમા સીટીબસ સેવા, ડોર ટુ ડોર કચરા કલેકશન બાદ હાલ કફોડી થતા નંદીઘર પણ બંધ કરવાનો સમય આવ્યો છે. રખડતા ઢોર પકડીને નંદી ઘરમાં મુકવામાં આવતા હતા તે પશુઓને પણ અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે જેથી નંદીઘરની નગરપાલિકા હસ્તકની કિંમતી જમીન હાલમાં ખાલી થયેલ છે જે જગ્યા કોઈ વગદાર વ્યક્તિના કબ્જા ન થઇ જાય કે પાણીના ભાવે ટોકન દરે ભાડા પેટે કોઇને કબ્જો સોંપવાને બદલે તે જગ્યાએ મોરબીવાસીઓના હિતમાં નગરપાલિકાને પીજીવીસીએલના બીલમાં રાહત મળે તે માટે સોલાર પ્લાન તે જગ્યાએ બનાવીને નગરપાલિકા દ્રાપા પાવર ઉત્પાદન કરવામાં આવે અને તેનો સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ કરવામાં આવે તો ઘણો આર્થિક ફાયદો થઇ શકે તેમ છે.

માટે હાલ નંદીઘરની કરોડોની કિંમતની ખાલી થયેલી જગ્યા ખોટી રીતે કોઈના કબ્જામાં ન ચાલી જાય તે માટે પાલિકાએ પોતાના માટે ત્યાં પાવર પ્લાન્ટ લગાવવો જોઈએ તેવી માંગ કોંગી આગેવાન મહેશ રાજગુરૂ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News