મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં


SHARE









મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક નજીકના કાંતિનગર વિસ્તારમાં રહેતી સગીરા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી જતા ઇજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં રહેતી સાનિયાબેન પ્રવીણભાઈ નામની ૧૫ વર્ષની સગીરા તેના ઘરે હતી ત્યારે ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી જેથી ઇજા થતા તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝનના જે.જે.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે લાલબાગની દિવાલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ નાસ્તા બજારમાં એસિડ પી જતાં દેવુબેન નવઘણભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉમર ૨૦) રહે.શક્તિપરા નવાપરા વાંકાનેર ને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના નવી ટીંબડી ગામે રહેતા અજય  કરશનભાઈ મોરવાડિયા નામના ૩૧ વર્ષના યુવાનને માળિયા હાઇવે ઉપર આવેલ ઓેએસીસ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહંમદ બીલાલ અન્સારી (૫૩) અને રાહુલ મુન્ના અન્સારી (૧૮) રહે.બંને બિહાર વાળાઓને ઇજાઓ થતા બંનેને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર નજીક આવેલ રામકુવા પાસે મારામારીનો બનાવ બન્યો હતો તે મારામારીના બનાવમાં નવઘણ પ્રાણજીવન પીપળીયા (૧૮) રહે.રફાળેશ્વર તા.મોરબી વાળાને ઇજા પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે

બાળકને ઈજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૧૮ માં રહેતા યશ જયેશભાઈ ડાભી નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચીને પોલીસે તપાસ કરતાં સામે આવ્યુ હતુ કે વાવડી રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસેથી તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો તે દરમિયાનમાં ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં યશને ઈજા પહોંચતા અત્રે સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.






Latest News