મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં


SHARE







મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક નજીકના કાંતિનગર વિસ્તારમાં રહેતી સગીરા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી જતા ઇજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં રહેતી સાનિયાબેન પ્રવીણભાઈ નામની ૧૫ વર્ષની સગીરા તેના ઘરે હતી ત્યારે ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી જેથી ઇજા થતા તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝનના જે.જે.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે લાલબાગની દિવાલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ નાસ્તા બજારમાં એસિડ પી જતાં દેવુબેન નવઘણભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉમર ૨૦) રહે.શક્તિપરા નવાપરા વાંકાનેર ને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના નવી ટીંબડી ગામે રહેતા અજય  કરશનભાઈ મોરવાડિયા નામના ૩૧ વર્ષના યુવાનને માળિયા હાઇવે ઉપર આવેલ ઓેએસીસ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહંમદ બીલાલ અન્સારી (૫૩) અને રાહુલ મુન્ના અન્સારી (૧૮) રહે.બંને બિહાર વાળાઓને ઇજાઓ થતા બંનેને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર નજીક આવેલ રામકુવા પાસે મારામારીનો બનાવ બન્યો હતો તે મારામારીના બનાવમાં નવઘણ પ્રાણજીવન પીપળીયા (૧૮) રહે.રફાળેશ્વર તા.મોરબી વાળાને ઇજા પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે

બાળકને ઈજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૧૮ માં રહેતા યશ જયેશભાઈ ડાભી નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચીને પોલીસે તપાસ કરતાં સામે આવ્યુ હતુ કે વાવડી રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસેથી તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો તે દરમિયાનમાં ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં યશને ઈજા પહોંચતા અત્રે સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.






Latest News