હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩ લાખનું કૌભાંડમાં હાલમાં ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઊંચાપત અને નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં ડીપીઇઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોચ્યા છે વધુમાં આ બાબતે મોરબીનાડીડીઓ ડી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં હાલમાં અરવિંદભાઇ પરમાર, અબ્દુલભાઈ સેરશિયા અને હિમાંશુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેના માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યા છે તેમાં આ ત્રણ શિક્ષકો જ સંડોવાયેલા છે કે પછી બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ તે હવે પોલીસ તપાસમાં સામે આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News