મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE













માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ

માળીયા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠો લાગતો હોય ત્યાં ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આવી જ રીતે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં પણ ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જો કે ચેરીયા વૃક્ષોને દરીયામાં વહોતુ પાણી ન મળે તે રીતે આડા પાળા બનાવી દેવામાં આવ્યા હોય હાલમાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પર્યાવરણને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉંમર વર્ષ ૫૭) એ હાલવા માળિયા(મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નિલ સર્વે નંબરની જમીન પાસેના વિસ્તારની અંદર ગેરકાયદેસર કરીને કુદરતી રીતે દરિયામાં વહેતા પાણીને રોકવા માટે થઈને પાણીના વહેણની વચ્ચે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી રોકી લેવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાવવામાં આવેલ ચેરીયા વૃક્ષોને જરૂરી પાણી ન મળવાના કારણે પર્યાવરણને નુકશાન થાય છે અને હાલમાં આ અંગે તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણને નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૮૩, ૪૪૭, ૧૧૪ અને ઇપી કલમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News