માળીયા (મી)માંથી પસાર થતા નેશનલ હાઇવેમાં કેટલી જમીન કપાશે-વળતર શું મળશે તેનો ખુલાસો કરવાની માંગ
મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ
SHARE
મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને સાયકલોનમાં પરિવર્તીત થઈ તેવી શક્યતા છે અને અગમચેતીના ભાગરૂપે નવલખી બંદરો હાલમાં ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવેલ છે
રાજ્યના હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેવામાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થયેલ છે અને ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે અને હાલમાં તેની વારંવાર દિશા બદલાઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હતી ત્યારે બાદ પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની તેની દિશા જોવા મળી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા ઉપર હવામાન વિભાગના અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે









