ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય


SHARE













મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ સંભવિત વાવઝોડાને પગલે અસરગ્રસ્તોને મદદરૂપ થવા આગળ આવ્યું છે અને વાવઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં ભોજન, મેડિકલ સહિતની સુવિધા માટે યંગ ઇન્ડિયા ગ્રુપની અલગ અલગ ટુકડીઓ સેવા માટે તુરત પહોંચી જશે અને તંત્ર સાથે સંકલનમાં રહીને સેવાઓ આપશે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે કે, વાવઝોડાનો મોરબી જિલ્લામાં ખતરો છે. ત્યારે સંભવિત વાવઝોડાની જો અસર  થાય તો પાંચ દિવસ મોરબી જિલ્લા માટે કઠિન બની જશે. અને તંત્ર રાહત અને બચાવ માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવી કુદરતી આપતી વખતે જરૂર પડે ત્યારે મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ તતપર છે અને સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અત્યારથી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. અને વાહનો સાથે ફૂડ પેકેટ, પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સાથેનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. આ વાવઝોડાની અસર થાય તો મોરબી માળીયામાં જ્યાં જ્યાં મદદનો પોકાર ઉઠશે ત્યાં તુરંત જ યંગ ઇન્ડિયા ગ્રુપની વાહન સાથે ટુકડીઓ પહોંચી જશે અને વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્તોની મદદ કરશે. દરિયા કિનારાના લોકોને સ્થળાંતર કર્યા પછી એમના માટે ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડશે. અને આ સેવા માટે મોબાઈલ નંબર ૯૧૩૭૮૯૧૩૭૮, ૮૦૦૮૦૨૭૫૭૭  અને ૯૬૨૪૬૬૪૪૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News