મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત   હળવદના બુટવડા ગામે ગળાફાંસો ખાઈને પરણીતાએ કર્યો આપઘાત ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય


SHARE











મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ સંભવિત વાવઝોડાને પગલે અસરગ્રસ્તોને મદદરૂપ થવા આગળ આવ્યું છે અને વાવઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં ભોજન, મેડિકલ સહિતની સુવિધા માટે યંગ ઇન્ડિયા ગ્રુપની અલગ અલગ ટુકડીઓ સેવા માટે તુરત પહોંચી જશે અને તંત્ર સાથે સંકલનમાં રહીને સેવાઓ આપશે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે કે, વાવઝોડાનો મોરબી જિલ્લામાં ખતરો છે. ત્યારે સંભવિત વાવઝોડાની જો અસર  થાય તો પાંચ દિવસ મોરબી જિલ્લા માટે કઠિન બની જશે. અને તંત્ર રાહત અને બચાવ માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવી કુદરતી આપતી વખતે જરૂર પડે ત્યારે મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ તતપર છે અને સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અત્યારથી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. અને વાહનો સાથે ફૂડ પેકેટ, પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સાથેનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. આ વાવઝોડાની અસર થાય તો મોરબી માળીયામાં જ્યાં જ્યાં મદદનો પોકાર ઉઠશે ત્યાં તુરંત જ યંગ ઇન્ડિયા ગ્રુપની વાહન સાથે ટુકડીઓ પહોંચી જશે અને વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્તોની મદદ કરશે. દરિયા કિનારાના લોકોને સ્થળાંતર કર્યા પછી એમના માટે ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડશે. અને આ સેવા માટે મોબાઈલ નંબર ૯૧૩૭૮૯૧૩૭૮, ૮૦૦૮૦૨૭૫૭૭  અને ૯૬૨૪૬૬૪૪૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News