ટંકારા ખાતે આર્યવીર દળનો ૪૦ મો સ્થાપના દિવસ ઉજવાયો, આર્ય વીર દળના શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
મોરબીના શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા ધો.૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ
SHARE
મોરબીના શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા ધો.૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ
મોરબીના શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજના ધો.૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.૧૩-૬ ને મંગળવારથી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી સુધારાવાડી શેરી મોરબી ખાતે કરવા માં આવેલ છે.ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૩ ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે.વર્ષ ૨૦૨૩ ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા જણાવાયેલ છે.
આ વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં વાલજીભાઈ વશરામભાઈ ચગ પરીવાર (પૂર્વ પ્રમુખ-શ્રી લોહાણા મહાજન), નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા મીલ), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી પરીવાર (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), આરએસસી મસાલા (નિતીનભાઈ તથા દીપકભાઈ પોપટ પરિવાર), રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ પરીવાર (જનતા ક્લાસીસ), હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, સ્વ.જ્યોત્સનાબેન મનહરલાલ ચગ પરિવાર, મહિમા ગીફ્ટ તથા આરામ ગીફ્ટ પરિવાર, સ્વ.મધુરિકાબેન કીર્તિભાઈ પાવાગઢી પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે.