મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ


SHARE











વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ

મોરબી જિલ્લામાં વાવાઝોડું ભયંકર અસર કરે તેવી શક્યતાઓ છે જેથી કરીને વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને રાજ્યના નાણામંત્રીની બેઠકો યોજાઇ હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોઈ પણ વિગત પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામે લડી લેવા માટે થઈને વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયાર છે.

મોરબી સહિત રાજ્યના છ જિલ્લાઓને બીપર જોઈ વાવાઝોડું અસર કરે તેવી શક્યતાઓ છે ત્યારે તમામ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછી નુકસાની અને જાનમાલને કોઈ નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મૂકવામાં આવ્યા હોય તેમની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિય, દુર્લભભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ મંત્રીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં નવલખી દરિયા કાંઠે વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે જેથી કરીને ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને નવલખી બંદર ઉપરની તમામ કામગીરીને બંધ કરવામાં આવી છે તેની સાથોસાથ સ્થળાંતર કરવામાં આવેલા લોકો ને પણ રહેવા અને જમવાની કોઈ અગવડ ન પડે તેના માટેની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેઓ પણ નવલખી બંદર તેમજ સ્થળાંતર કરવામાં આવેલા લોકોને જ્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે તે સ્થળની મુલાકાત લેવાના છે.






Latest News