માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ


SHARE













વાવાઝોડાના કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવા માટે વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયારઃ કનુભાઇ દેસાઇ

મોરબી જિલ્લામાં વાવાઝોડું ભયંકર અસર કરે તેવી શક્યતાઓ છે જેથી કરીને વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને રાજ્યના નાણામંત્રીની બેઠકો યોજાઇ હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોઈ પણ વિગત પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામે લડી લેવા માટે થઈને વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ તૈયાર છે.

મોરબી સહિત રાજ્યના છ જિલ્લાઓને બીપર જોઈ વાવાઝોડું અસર કરે તેવી શક્યતાઓ છે ત્યારે તમામ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછી નુકસાની અને જાનમાલને કોઈ નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મૂકવામાં આવ્યા હોય તેમની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિય, દુર્લભભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ મંત્રીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં નવલખી દરિયા કાંઠે વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે જેથી કરીને ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અને નવલખી બંદર ઉપરની તમામ કામગીરીને બંધ કરવામાં આવી છે તેની સાથોસાથ સ્થળાંતર કરવામાં આવેલા લોકો ને પણ રહેવા અને જમવાની કોઈ અગવડ ન પડે તેના માટેની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેઓ પણ નવલખી બંદર તેમજ સ્થળાંતર કરવામાં આવેલા લોકોને જ્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે તે સ્થળની મુલાકાત લેવાના છે.






Latest News