હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?


SHARE













વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
 
વાવાઝોડાની વચ્ચે તો, હવે રોજ રહેવાનુ, છતા પણ મૌન રહી બધુ સહેવાનુ,
આ તો છાતી છપ્પન ની કહેવાય,નવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
સંસાર માં ચક્રવાત તો આવતા જ રહેશે, ડાળીઓ હલશેને,પાંદડાઓ ખરી પડશે,
મૂળિયા મનના તું મજબૂત રાખજે,માનવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
કડાકા ભડાકા તો થયા જ કરશે, માયાના બંધન માં ઉચાટ પણ આવશે,
ધીરજના ઓસડિયા રૂપી સાવચેતી રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
તારુ હતુ શું ? ને તુ લાવ્યો હતો શું ? ઉપાધિ જગતની છે,ત્રિલોકના નાથને,
બળતરા છોડી બીજાની ,માત્ર સદભાવના રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ,
યાદ આવે છે પ્રભુ વિપતિ ના સમયે,માણસ તરી જતા હોય છે , સદાય ઈશ્વરની રહેમે.
"રાજ" આખર ઈશ્વર એક જ રખેવાળ,માનવ તુ વાવાઝોડાથી કેમ મુંઝાય ?
રચિયતા:રાજેશભાઇ એસ વ્યાસ " રાજ "ધ્રુવનગર(મોરબી)
 





Latest News