વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
વાવાઝોડાની વચ્ચે તો, હવે રોજ રહેવાનુ, છતા પણ મૌન રહી બધુ સહેવાનુ,
આ તો છાતી છપ્પન ની કહેવાય,નવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
સંસાર માં ચક્રવાત તો આવતા જ રહેશે, ડાળીઓ હલશેને,પાંદડાઓ ખરી પડશે,
મૂળિયા મનના તું મજબૂત રાખજે,માનવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
કડાકા ભડાકા તો થયા જ કરશે, માયાના બંધન માં ઉચાટ પણ આવશે,
ધીરજના ઓસડિયા રૂપી સાવચેતી રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
તારુ હતુ શું ? ને તુ લાવ્યો હતો શું ? ઉપાધિ જગતની છે,ત્રિલોકના નાથને,
બળતરા છોડી બીજાની ,માત્ર સદભાવના રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ,
યાદ આવે છે પ્રભુ વિપતિ ના સમયે,માણસ તરી જતા હોય છે , સદાય ઈશ્વરની રહેમે.
"રાજ" આખર ઈશ્વર એક જ રખેવાળ,માનવ તુ વાવાઝોડાથી કેમ મુંઝાય ?
રચિયતા:રાજેશભાઇ એસ વ્યાસ " રાજ "ધ્રુવનગર(મોરબી)